Pujya Bahenshree Champaben's Tatvacharcha - Video

  • No.
    Play
    Content
  • 1
    -
    20.41
    Sr. No. Question Duration Lang
    1 આજે આખો મુમુક્ષુ સમાજ પૂજ્ય ગુરુદેવશ્રીની જન્મજયંતી ઊજવવા માટે એકઠો થયો છે. પૂજ્ય ગુરુદેવશ્રીનો અંતરંગમાં ઘણો મહિમા આવે છે. આપના શ્રીમુખેથી ઘણો ઘણો મહિમા સાંભળ્યો છે. પ્રસંગે પ્રસંગે આપની પાસે આવીએ છીએ. શ્રી ગુરુદેવનો મહિમા દ્રઢ કરતા જઈએ છીએ છતાં અમને તૃપ્તિ થતી નથી. 0.00 to 2.14 G
    2 સ્વાધ્યાયમંદિરમાં આ વખતે આવ્યાં ને ગુરુદેવશ્રીનાં જીવન પ્રસંગના ફોટા જોતાં પૂજ્ય ગુરુદેવશ્રીનું આખું જીવન-દર્શન તાદ્રશ્ય થતું હોય એવું લાગ્યું. આપે એ ફોટાનું જે રીતે આયોજન કર્યું છે તેનાં ભાવો જાણવાની ભાવના છે, તેથી જોતાં ફોટાઓ ચેતનવંતા બની જશે. 2.15 to 6.49 G
    3 વાણીના ઘોધને દેખાડ્યો છે તે સરસ લાગે છે. 6.15 to 7.09 G
    4 હરીયાળી છવાઈ ગઈ હોય એવું લાગે છે. 7.10 to 7.14 G
    5 શ્રી નેમિનાથ ભગવાન પછી સૌરાષ્ટ્રની ભૂમિમાં ગણીએ તો પૂજ્ય ગુરુદેવનાં પ્રતાપે તત્ત્વનો પ્રચાર થયો છે. 7.15 to 8.24 G
    6 તુજ પાદથી સ્પર્શાઈ એવી ધૂલીને પણ ધન્ય છે તેથી સોનગઢની ભૂમિ પાવન થઈ ગઈ. સ્વાધ્યાયમંદિરમાં ઠેકાણે ઠાકાણે પૂ. ગુરુદેવશ્રીના ચરણો જોતાં પૂજ્ય ગુરુદેવશ્રી મુખ્ય થઈ ગયા. ચરણ અને ભૂમિનો સુભગ સમાગમ છે. એવા સુંદર ચરણો જોતાં પૂજ્ય ગુરુદેવશ્રી યાદ આવી જાય છે ને એમ લાગે છે કે આ વખતની જન્મજયંતી આપની ઉજવવાની ભાવના જોતાં આખા સમાજને થાય છે કે પૂજ્ય ગુરુદેવશ્રી જરૂર પધારશે. 8.25 to 9.24 G
    7 કાલે રાત્રે આપ કેવું સુંદર બોલ્યા કે કરવા જાય કાંઈકને બની જાય છે કાંઈ સુંદર. 9.25 to 10.08 G
    8 સમવસરણ સ્તુતિ યાદ આવી ગઈ કે પોતે જ રચના કરે ને આશ્ચર્ય થાય કે રચના કેવી સુંદર બની ગઈ તેમ પૂજ્ય ગુરુદેવશ્રી તીર્થંકરનું દ્રવ્ય છે તેતી સરસ રીતે રચના થઈ ગઈ. 10.09 to 11.24 G
    9 આત્મા શબ્દ બોલતા પણ પૂજ્ય ગુરુદેવશ્રીએ શીખવાડયો છે. 11.24 to 12.09 G
    10 કહ્યું છે ને વીતરાગમાર્ગમાં ડગલે પગલે પુરષાર્થ જોઈએ છે, તેના સિવાય કાંઈ થતું નથી. તો પુરુષાર્થ એકલાથી થાય છે કે સાથે પૂજ્ય ગુરુદેવશ્રી પ્રત્યે અર્પણતા પણ હોય છે. 12.10 to 12.56 G
    11 તે તો પ્રભુએ આપીઓ વર્તું ચરણાધીન. 12.57 to 14.17 G
    12 પૂજ્ય ગુરુદેવશ્રીએ સ્વાનુભૂતિનો માર્ગ ઘણો બતાવ્યો છે. બધાને મુંઝવણ થતી હોય છે. પણ પુરુષાર્થ તો પોતે જ કરવાનો છે ને માર્ગ કેવી રીતે શોધવો તેનો પ્રયત્ન કર્યા કરે છે. 14.18 to 16.03 G
    13 આમાં સદા પ્રીતિવંત બન, આમાં જ સંતુષ્ટ થા. 16.04 to 17.33 G
    14 આવું સમજવા છતાં કામ ન થાય તો તત્ત્વની રુચિની ખામી કે વૈરાગ્યની ખામી. 17.34 to 18.25 G
    15 આત્મામાં સંતુષ્ટી થાય એવી પ્રતીતિ આ જીવને કેવી રીતે થાય? 18.26 to 20.40 G
  • 2
    -
    22.13
    Sr. No. Question Duration Lang
    1 જેમ ઉપાદાન માટે નિમિત્ત અકિંચિત્કર છે તેમ સામાન્ય માટે વિશેષ અકિંચિત્કર છે? 0.00 to 5.18 G
    2 હે માતાજી! હું જ્ઞાયક જ્ઞાયક છું—એમ નક્કી કરીને જ્ઞાયકમાં પ્રયોગ કરવા જઈએ તો જ્ઞાયક લૂખો થઈ જાય છે. રસબસતો લાગતો નથી. તો તેના માટે કેવા પ્રકારનો અભ્યાસ કરવો જોઈએ? 5.19 to 8.51 G
    3 આગમનો વ્યવહાર અને અધ્યાત્મનો વ્યવહારમાં શો ફરક છે? 8.52 to 11.03 G
    4 પૂજ્ય માતાજી! સામાન્ય વિશેષની પ્રસિદ્ધિ કરનાર દ્રવ્ય છે. વિશેષ છે તો દ્રવ્યવિશેષની મહિમા કેમ નથી કરતો? 11.04 to 13.45 G
    5 એકાંત કરવા જેવું નથી. 13.46 to 15.30 G
    6 સામાન્ય તરફ લઈ જવા માટે વ્યવહાર રાખીયે? 15.31 to 17.24 G
    7 શ્રી સમયસારમાં આવે છે કે ‘જ્ઞાન વૈરાગ્યની શક્તિ નિયમથી હોય છે’ તો એ જ્ઞાન વૈરાગ્યની શક્તિ સમજાવવા કૃપા કરશોજી. 17.25 to 22.12 G
  • 3
    -
    14.47
    Sr. No. Question Duration Lang
    1 હે ભગવતી માતા! સમયસાર શાસ્ત્રમાં ત્રીજા કળશમાં ભગવાન અમૃતચંદ્રાચાર્યદેવે કહ્યું છે કે આ સમયસાર શાસ્ત્રની ટીકાથી મારી પરમ વિશુદ્ધિ થાઓ, સ્વભાવે તો હું શુદ્ધ ચિન્મૂર્તિ છું. આ બન્નેની સંધિ કૃપા કરી સમજાવશો. 0.00 to 4.34 G
    2 પૂજ્ય ભગવતી માતા! સાધકને અંતરમાં આલંબનભૂત તત્ત્વ શું છે? શું જેનું અનુભવન હોય તેનું જ વેદન હોય છે? 4.35 to 6.01 G
    3 આપ અને પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કહો છો કે કરવાનું તો તારે જ છે. જ્યારે બીજી તરફ ‘‘પંચ પરમેષ્ઠી ભગવાનની કૃપાનું ફળ મોક્ષ છે’’ આ બન્ને વચ્ચેની સંધી કેમ છે? 6.02 to 10.00 G
    4 હે માતાજી! શ્રી સમયસારજીમાં આવે છે કે એટલો જ સત્ય પરમાર્થ સ્વરૂપ આત્મા છે જેટલું આ જ્ઞાન છે. તો શું ‘જ્ઞાનમાત્ર તત્ત્વમાં’ જ બધું આવી જાય છે? પણ અમને તો જ્ઞાનમાત્ર તત્ત્વમાં જ્ઞાન સિવાય બીજું કાંઈ દેખાતું નથી? 10.01 to 14.10 G
    5 જ્ઞાયકમાં રોકા ને જ્ઞાયકમાં સંતુષ્ટ થા. 14.11 to 14.46 G
  • 4
    -
    22.25
    Sr. No. Question Duration Lang
    1 જ્ઞાની અને અજ્ઞાનીમાં એવો તો શો તફાવત છે કે જ્ઞાનીનાં બધા ભાવો વેપાર, લડાઈ વગેરે કરવા છતાં પણ જ્ઞાનમય કહેવાય છે અને અજ્ઞાનીના બધા ભાવો વાંચન, વિચાર વગેરે કરવા છતાં પણ અજ્ઞાનમય છે? કહેવાય છે? 0.00 to 3.19 G
    2 હે ભગવતી માતા! પૂજ્ય ગુરુદેવશ્રીએ જે સમ્યગ્દર્શનનો ખૂબ ખૂબ મહિમા ગાયો છે તે સમ્યગ્દર્શનનું સ્વરૂપ અનંતકાળમાં અમને કદી સમજાયું નથી તો કલ્યાણકારી સમ્યગ્દર્શનનું સ્વરૂપ કૃપા કરીને સમજાવશો. 3.19 to 8.47 G
    3 હે કૃપાળુ માતાજી! શ્રી પ્રવચનસારમાં જ્ઞાન અધિકારમાં પૂજ્ય આચાર્યદેવે પ્રત્યક્ષજ્ઞાનનો ખૂબ ખૂબ મહિમા ગાયો છે. આચાર્યદેવ અદ્‍ભુત જ્ઞાન પ્રગટ્યું છે છતાં ક્યાં અમારું જ્ઞાન ને ક્યાં ભગવાનનું ક્ષાયિકજ્ઞાન તો તે સમજાવવા કૃપા કરશોજી. 8.48 to 12.56 G
    4 શ્રી સમયસાર આસ્રવ અધિકારના કળશ નં. ૧૨૨માં કહ્યું છે કે ‘‘તજે શુદ્ધનય બંધ છે અને શુદ્ધનય ગ્રહણથી મોક્ષ છે’’ તો શુદ્ધનયનું સ્વરૂપ શું છે? 12.57 to 16.57 G
    5 હે માતાજી! સમયસાર કળશ નં. ૧૦૪માં આવે છે ‘‘સર્વ કર્મોનો નિષેધ કરવામાં આવતાં નિષ્કર્મ અવસ્થાવાળા મુનિઓ કાંઈ અશરણ નથી પણ જ્ઞાનનું શરણ લઈ પરમ અમૃતને પીવે છે’’ તો કૃપા કરી અંદરનાં શરણરૂપ જ્ઞાનનું સ્વરૂપ સમજાવશો. 16.57 to 22.24 G
  • 5
    -
    18.21
    Sr. No. Question Duration Lang
    1 (૧) તું જ વર્તમાનમાં ભગવાન છો. તો શું હું તથા પ્રત્યેક જીવ વર્તમાનમાં પોતે અચિંત્ય શક્તિવાળો દેવ છો. શું હું ચિન્માત્ર ચિંતામણિ રત્ન છું? શું મારા બધા પ્રયોજનો સિદ્ધ છે? અન્ય પરીગ્રહની સાથે નથી? વર્તમાન ઘણી દીનતા ભાસે છે ને મારી દીનતા જાય એવું શું રહસ્ય આ વાતમાં રહેલું છે? 0.00 to 4.00 G
    2 પોતે જ ચૈતન્યદેવ છે? 4.01 to 4.40 G
    3 આવું સ્વરૂપ વિચારીએ તો દીનતા જાય. 4.41 to 7.09 G
    4 ‘‘रुचिका पोषण और तत्त्वका घूंटण’’ कार्य होनेके लिये आपने वचनामृतमें बताया है, वो हम तत्त्वका घूंटण करते हैं फिर भी कार्य नहीं होता है तो कहाँ खामी रह जाती है? 7.10 to 9.09 H
    5 आपके शरण आये है तो पुरुषार्थकी कमी दूर हो जायेगी ऐसा हमें विश्वास हैं। 9.10 to 18.20 H
  • 6
    -
    22.45
    Sr. No. Question Duration Lang
    1 પૂજ્ય ગુરુદેવશ્રી નિશ્ચયનયને સદા મુખ્ય ફરમાવતા હતા અને આગમમાં ક્યારેક નિશ્ચયને મુખ્ય અને ક્યારેક વ્યવહારને મુખ્ય દર્શાવે છે. તો બન્ને જુદાં જુદાં પ્રકારનાં કથનો પાછળ જ્ઞાની ધર્માત્માઓનો શું મર્મ છે? તે કૃપા કરી સમજાવશો. 0.00 to 4.51 G
    2 દ્રષ્ટિમાં આત્મા રહે એટલે શું? આખો દિવસ ત્યાં જ ઉપયોગ રહે? 4.52 to 7.19 G
    3 દ્રષ્ટિમાં નિશ્ચય મુખ્ય અને જાણવામાં નિશ્ચય અને વ્યવહાર આવું સમજવાથી આત્માની તીખી રુચિ કઈ રીતે થાય? 7.20 to 9.24 G
    4 આમાં સાથે સાથે ઉપકારી સત્પુરુષનો મહિમા આવી જાય 9.25 to 11.01 G
    5 ભક્તિ સાથે આત્માની વિરુદ્ધતા નથી. 11.02 to 13.55 G
    6 પૂજ્ય માતાજી ઠેર ઠેર સમ્યગ્દર્શનના લક્ષણ તરીકે સાત તત્ત્વનાં યથાર્થ શ્રદ્ધાનને જ મહત્વ આપ્યું છે, તો તેમાં આટલું બધું શું રહસ્ય છે? તે કૃપા કરી સમજાવશો તો સમ્યક્દર્શનની મહિમા જાગે. 13.56 to 19.13 G
    7 મંદિર જાવ છું ત્યાં ભગવાનના દર્શનની વાત આવી જાય છે? 19.14 to 20.00 G
    8 આત્માનું જ્ઞાન કરતાં, આત્માની સામર્થ્યની વાત કરો છો. 20.01 to 22.44 G
  • 7
    5/8/1986
    25.57
    Sr. No. Question Duration Lang
    1 જ્ઞાનીની દશા–જ્ઞાનીના સહજ પુરુષાર્થ વિષે પૂજ્ય બહેનશ્રીના સહજ ઉદ્‍ગાર… 0.00 to 3.08 G
    2 પુરુષાર્થ સહજ જ ચાલે છે. 3.09 to 3.50 G
    3 જેમ જ્ઞાન અને ચારિત્ર કહેતાં કાંઈ તેનો આછો-પાતળો ભાવ પકડાય છે પણ દ્રષ્ટિ કે જેના આધારે ભવ ફરી થઈ જાય બધા દુઃખડા દૂર થઈ જાય તે દ્રષ્ટિનાં સ્વરૂપનો મહિમા સમજાવવા વિનંતી છે. 3.51 to 6.39 G
    4 મહિમાવંત સમ્યક્દર્શન થયું પણ જ્ઞાન મહિમાવંત ન થયું? 6.40 to 8.29 G
    5 દરેકે પહેલાં દ્રષ્ટિ પલટાવવી જોઈએ? 8.30 to 9.00 G
    6 સહજ જ્ઞાન થતાં દ્રષ્ટિ પલટાય જાય છે? 9.01 to 9.51 G
    7 જ્ઞાનીને સમ્યક્દર્શનમાં અંતરંગ કારણ કહેવાય છે. તેમાં શો આશય છે? 9.52 to 11.23 G
    8 અંતરંગ પરિણમન થાય છે માટે અંતરંગ કારણ છે. 11.24 to 12.15 G
    9 ભેદજ્ઞાન જે થાય છે તે સામાન્ય રાગ પરિણતિથી થાય છે કે ઉઠતા વિકલ્પોથી થાય છે? 12.16 to 15.00 G
    10 જ્ઞાયકની પરિણતિ ચાલુ જ રહે છે. 15.01 to 16.00 G
    11 જ્ઞાયકનું એકત્વ ચાલુ છે? 16.01 to 16.30 G
    12 એક પર્યાયમાં બે ભાગ પડે છે? 16.31 to 16.50 G
    13 એક પર્યાયમાં બે ભાવ થાય છે. 16.51 to 19.09 G
    14 જ્ઞાયકધારાની શરૂઆત છે તે પ્રયત્નપૂર્વકના વિકલ્પથી જ થાય છે 19.10 to 20.00 G
    15 ઉપયોગ બહાર હોય તો પણ લીનતા વધતી જાય? 20.00 to 22.19 G
    16 ભેદજ્ઞાન ત્યાં સુધી ભાવવું કે જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનમાં સ્થિત ન થાય, તે સમજાવશો. 22.20 to 25.56 G
  • 8
    -
    17.15
    Sr. No. Question Duration Lang
    1 સમ્યક્દૃષ્ટિને નિરંતર જ્ઞાનચેતના હોય છે જેથી તેના બધા પરિણામ જ્ઞાનમય હોય છે, તે કેમ છે તે સમજાવશો 0.00 to 6.00 G
    2 એકતાબુદ્ધિમાં જે ગૌણ હતું તે મુખ્ય થઈ ગયું ને મુખ્ય હતું તે ગૌણ થઈ ગયું. 6.01 to 7.27 G
    3 નિત્ય-અનિત્ય, સત્-અસત્ વગેરે વિરુદ્ધ ધર્મો એક સાથે કેવી રીતે રહે છે? અને તે વિરોધ સમ્યગ્જ્ઞાનમાં કેવી રીતે ટળી જાય છે? 7.28 to 12.00 G
    4 વિરુદ્ધ ધર્મો દ્રવ્યનાં જ છે? વસ્તુને નીપજાવનારા છે. 12.01 to 12.36 G
    5 નિર્વિકલ્પ અનુભૂતિ વખતે જ્ઞાનગુણ પરિણમન તો કરતો હોય છે. તો તે સમયે આત્માનાં બંધારણમાં દ્રવ્ય-ગુણ-પર્યાય નિર્વિકલ્પપણે જણાય છે કે બધું એકમેકરૂપે અનુભવાય છે. 12.37 to 17.14 G
  • 9
    -
    25.01
    Sr. No. Question Duration Lang
    1 સમ્યક્દૃષ્ટિ જીવને જ્ઞાયકનો દોર હાથમાં આવી ગયા બાદ ઉપયોગ બહારમાં જાય તો સમ્યક્દર્શનને કાંઈ હાનિ થાય છે? ઉપયોગ બહારમાં હોય તોપણ નિરંતર શાંતિ વેદાતી હોય? નિર્વિકલ્પદશા નથી તેનો તેને ખેદ હોય છે? આવી ઉપયોગની અટપટી વાત સમજાવવાં કૃપા કરશોજી. 0.00 to 8.02 G
    2 પૂજ્ય બહેનશ્રી બીજો પ્રશ્ન છે કે છ દ્રવ્ય, પંચાસ્તિકાય, નવતત્ત્વ, હેય, જ્ઞેય, ઉપાદેય, દ્રવ્ય-ગુણ-પર્યાય, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વગેરેનું જ્ઞાન સમ્યક્દર્શનની પ્રાપ્તિ માટે જાણવું જરૂરી છે કે એકલો ધ્રુવ જીવસ્વભાવ જાણવાથી મુક્તિમાર્ગે જઈ શકાય છે? 8.03 to 17.11 G
    3 દ્રષ્ટિ ત્રિકાળી દ્રવ્ય સિવાય કોઈને સ્વીકારતી નથી. દ્રષ્ટિ પર્યાય છે તો પર્યાયમાં તો રાગ-દ્વેષ થાય છે કે નહીં? 17.12 to 18.42 G
    4 સમ્યક્દર્શનમાં જે રીતે ભેદજ્ઞાનની ધારા વર્તે છે શું તે જ માર્ગે કેવળજ્ઞાન થાય છે? તે કેવળજ્ઞાનનું શું સ્વરૂપ છે. તે સમજાવવા કૃપા કરશોજી 18.43 to 25.00 G
  • 10
    -
    26.22
    Sr. No. Question Duration Lang
    1 જીવને નિરંતર સાક્ષી ભાવે વર્તમાનમાં પરનાં અકર્તાપણાનો સિદ્ધાંત જ મુખ્યપણે કામ કરે છે કે જીવની અનંત શક્તિઓની શ્રદ્ધા પણ સાથે કામ કરે છે? 0.00 to 4.00 G
    2 અકર્તાપણાનો સિદ્ધાંત છે? 4.01 to 5.49 G
    3 સિદ્ધાંત તો એક જ રહ્યો ન. 5.50 to 6.02 G
    4 અકર્તાપણાનો સિદ્ધાંત સહેલો લાગે છે. જ્ઞાયકનો સિદ્ધાંત દેખાતો નથી એટલે અઘરો લાગે છે. 6.02 to 7.11 G
    5 મુખ્યપણે સિદ્ધાંત તો જ્ઞાયકનો આશ્રય છે. 7.12 to 8.13 G
    6 જ્ઞાયક દરેક અવસ્થામાં સાક્ષીભાવે રહ્યા કરે છે. 8.14 to 9.36 G
    7 પરના અકર્તા માટે પણ બહિર્મુખ દ્રષ્ટિ થઈ જાય, જ્ઞાયકના અકર્તા માટે અંતર્મુખ દ્રષ્ટિ થઈ જાય. 9.37 to 11.01 G
    8 ‘‘અંજનચોરે શેઠના વચનને પ્રમાણ માની સિદ્ધિ પ્રાપ્ત કરી’’ તેમ પ્રથમાનુયોગમાં આવે છે. તેમ અમો પણ ગુરુદેવશ્રીનાં વચનને પ્રમાણ માની લઈએ તો સમ્યગ્દર્શન થાય ખરું? 11.02 to 17.18 G
    9 હા જ પાડજો, કલ્પના કરશો નહિ. 17.19 to 18.15 G
    10 આશ્રય પકડાય નહિ તો અવર્ણવાદ કહેવાય? 18.16 to 19.19 G
    11 પૂજ્ય માતાજી! એકવાર સ્વાનુભૂતિ પ્રાપ્ત થયા પછી, શું જીવ ધારે ત્યારે નિર્વિકલ્પ થઈ શકે ખરો? 19.20 to 21.54 G
    12 ચોથાવાળાને અવારનવાર થાય ખરૂ? 21.55 to 22.38 G
    13 શુદ્ધ ઉપયોગ માટે કાળ હોય એવું ખરૂ? 22.39 to 23.10 G
    14 શુદ્ધોપયોગમાં ઇચ્છા હોય છે? 23.11 to 24.20 G
    15 પૂર્વ ભૂમિકામાં વિરક્તિ પર વધારે ભાવ હોય છે. 24.50 to 25.30 G
    16 હઠથી થતું નથી ને ભૂમિકાથી વિરુદ્ધ થતું નથી. 25.31 to 26.21 G
  • 11
    4/27/1987
    26.11
    Sr. No. Question Duration Lang
    1 પરમાત્મ તત્ત્વને વિશે ધ્યાનાવલીઓ હોવાનું શુદ્ધનય કહેતો નથી, તેનો શો અર્થ છે? સાધકને લડાઈમાં પણ શુદ્ધનયનું આલંબન છૂટતું નથી, તે કેવી રીતે બની શકે? ત્યારે તો ઉપયોગમાં ચંચળતા હોય છે. 0.00 to 6.07 G
    2 ધ્યાનાવલિ પણ વ્યવહાર છે? 6.08 to 11.25 G
    3 હું ને પરમાત્મતત્ત્વ પુરા છે? બે જુદા નથી? 11.25 to 12.13 G
    4 સામાન્યને આવી વસ્તુ કહેવી છે. 12.14 to 13.09 G
    5 નિર્વિકલ્પ વખતે શુદ્ધનયનું આલંબન ને લડાઈ વખતે શુદ્ધનયનું આલંબન. બંનેમાં શું ફેર છે? 13.10 to 14.04 G
    6 સ્વરૂપનું જ્ઞાન અને શ્રદ્ધાન શરૂઆતથી સાથે-સાથે ચાલે છે કે એમાં કોઈ ક્રમ છે? 14.05 to 19.10 G
    7 સમ્યક્શ્રદ્ધાન અને જ્ઞાન બન્ને સાથે-સાથે ચાલે છે. તે તો બરાબર છે પણ તે પહેલાંની ભૂમિકામાં જ્ઞાન થતાં થતાં શ્રદ્ધાનનું કાંઈ કામ ચાલતું હોય છે? 19.11 to 20.40 G
    8 પૂજ્ય ગુરુદેવશ્રીનો ઉપદેશ જિજ્ઞાસા અને ભાવનાથી સાંભળે કે “હું એક જ્ઞાયક છું પણ શરીર હું નથ” આટલું જ્ઞાન હોય તો સમ્યક્દર્શન થયું કહેવાય કે નહીં? 20.41 to 26.10 G
  • 12
    -
    25.27
    Sr. No. Question Duration Lang
    1 આ કાળમાં જીવો અતિ સ્થૂળબુદ્ધિવાળા છે. આથી તેઓ કઈ રીતે રાગ અને આત્માનું ભેદજ્ઞાન કરી શકે? 0.00 to 4.13 G
    2 સ્વભાવની રુચિ કરે તો સ્થૂળબુદ્ધિ હોય તો સૂક્ષ્મબુદ્ધિ થઈ જાય? 4.14 to 6.30 G
    3 સૂક્ષ્મબુદ્ધિ હોય પણ આવો પ્રયત્ન ન કરે તો ભવાંતે સ્થૂળબુદ્ધિ થઈ જાય? 6.30 to 7.02 G
    4 સાતમી નરકનો નારકી સમ્યક્દર્શન સૂક્ષ્મબુદ્ધિથી કરતો હશે? 7.03 to 8.50 G
    5 પૂજ્ય માતાજી! એક પ્રશ્ન છે કે બંધ મોક્ષનું કારણ અને બંધમોક્ષના પરિણામથી સમ્યક્દર્શનનો વિષયભૂત આત્મા શૂન્ય છે? મુક્ત પર્યાયથી જે શૂન્ય છે તેનો આશ્રય લેવાથી મુક્તપર્યાય પ્રગટે છે. તો તે મૂળભૂત જ્ઞાયક કેવો છે, તે વિશેષ સ્પષ્ટતા કરવા કૃપા કરશો. 8.51 to 15.10 G
    6 દ્રવ્યદ્રષ્ટિ સાધકદશામાં મુખ્ય રહે છે! 15.11 to 17.38 G
    7 દ્રવ્ય-ગુણ-પર્યાય દ્રવ્યનું જ સ્વરૂપ છે 17.39 to 18.06 G
    8 પર્યાયને અંતરમાં વાળવી અને ગુણ-ગુણીનાં ભેદને તિરોધાન કરવાનો જે ઉપદેશ છે તેમાં પર્યાયને અંતરમાં વાળવી એટલે શું? ગુણીના ભેદને તિરોધાન કરવા એટલે શું? એ સમજાવવા કૃપા કરશોજી. 18.07 to 25.26 G
  • 13
    -
    26.16
    Sr. No. Question Duration Lang
    1 શુદ્ધનયનો અંશરૂપ હોવા છતાં તે પરિપૂર્ણ છે? આત્મામાં એક અંશ પરિપૂર્ણ થઈને રહેતો હોય તો બીજા અંશને શૂન્ય થવું પડે? આ વાત કૃપા કરી સમજાવશો. 0.00 to 5.43 G
    2 પર્યાયમાં પરિપૂર્ણ થયો તો શક્તિમાં કાંઈ હાનિવૃદ્ધિ થતી નથી? 5.44 to 6.48 G
    3 પર્યાયમાં પરિપૂર્ણતા ક્યાંથી આવે છે? 6.49 to 7.30 G
    4 પદાર્થનાં બે અંશો છે તેમાં એક સ્થિર રહે ને બીજો પલટતો રહે? 7.31 to 8.27 G
    5 એક સમયે આખું દ્રવ્ય શુદ્ધ છે ને એક સમયે અશુદ્ધપણું પણ આવી જાય છે? 8.278 to 8.38 G
    6 અક્ષયભંડાર છે? ભંડાર નિરાવરણ છે કે આવરણવાળું? 8.39 to 10.00 G
    7 સમ્યક્દર્શનમાં શક્તિનાં દર્શન થતાં હશે. 10.01 to 10.30 G
    8 નિરાવરણ હોય તો તેમાં પર્યાયની અશુદ્ધતા સ્પર્શી ન જાય? 10.31 to 11.13 G
    9 પૂજ્ય ધર્માત્મા! અમ મુમુક્ષુનો પ્રશ્ન છે કે જ્ઞાની પુરુષો, અવિરત સમ્યગ્દ્રષ્ટિ જીવો આખો દિવસ શું કરતા હશે? તેઓને પરમાં કાંઈ કરવાનું રહ્યું નથી તો તેમનો સમય કેમ વ્યતીત થતો હશે? 11.14 to 20.50 G
    10 અનુભૂતિની શોભા વધારે છે કે આત્મદ્રવ્યની શોભા વધારે છે? આત્મદ્રવ્યની શોભા તો પ્રત્યેક પ્રાણીમાં છે છતાં દુઃખી છે અને અનુભૂતિથી જ સુખની પ્રાપ્તિ હોવાથી અનુભૂતિની શોભા હોય એવું લાગે છે. તો તે અનુભૂતિ કેમ પ્રગટ થાય? 20.51 to 26.15 G
  • 14
    -
    19.52
    Sr. No. Question Duration Lang
    1 પૂજ્ય માતાજી! એક પ્રશ્ન છે કે પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃતમાં આવે છે કે ‘હું જ પરમાત્મા છું એમ નક્કી કર, નિર્ણય કર, અનુભવ કર’ તેમાં પૂજ્ય ગુરુદેવશ્રી શું કહેવા માંગે છે? 0.00 to 4.57 G
    2 તૂં પરમાત્મા છો ને તૂં પરિપૂર્ણ છો એમ બંનેનો કહેવાનો આશય એક જ છે. 4.58 to 6.37 G
    3 આ જગતમાં વસ્તુ છે તે પોતાના સ્વભાવમાત્ર છે. આત્મા જ્ઞાનનો કર્તા અને વિભાવદશામાં અજ્ઞાન-રાગ-દ્વેષનો કર્તા છે. પણ પરદ્રવ્યનો કર્તા આત્મા નથી એવું અમને શ્રદ્ધામાં છે છતાં પરદ્રવ્યની પ્રવૃત્તિમાં આવતા તન્મયપણું ભાસે છે તો તે કર્તાપણું કઈ રીતે ટળે અને જ્ઞાતાપણું કઈ રીતે પ્રગટે? કૃપા કરી સમજાવશો. 6.38 to 11.20 G
    4 જ્ઞાન દ્વારા પરનો અકર્તા છું ને શ્રદ્ધાથી પરનો અકર્તા છે એમાં બંનેમાં શું ફરક છે? 11.21 to 13.11 G
    5 જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી જ્ઞાનનો નિર્ણય કર્યો છે પણ શ્રદ્ધાનો ટેકો નથી મળ્યો ત્યાં સુધી લુખાશ સમજવી ને? 13.12 to 14.37 G
    6 આત્મા અચિંત્ય શક્તિવાળો સ્વયમેવદેવ છે જે ક્ષણે જાગે તે ક્ષણે આનંદસ્વરૂપ જાગતિ જ્યોતિ અનુભવમાં આવે કે બહાર આવે (સવિકલ્પદશામાં) ત્યારે આનંદની ખબર પડે! 14.38 to 19.51 G
  • 15
    4/17/1988
    20.19
    Sr. No. Question Duration Lang
    1 દરેક જીવ પરમાત્મ સ્વરૂપ છે પણ અમારી પાસે વર્તમાનમાં તો મતિ-શ્રુતજ્ઞાન પ્રગટપણે છે તો અમે પરમાત્મસ્વરૂપ છીએ તે મતિ-શ્રુતજ્ઞાન દ્વારા કેમ ખ્યાલમાં આવે? 0.00 to 4.34 G
    2 લક્ષણ પકડવાની તાકાત મતિશ્રુતજ્ઞાનમાં જ છે! 4.35 to 6.03 G
    3 આશ્રયભૂત તત્ત્વનું અવલંબન લેતાં સમ્યક્દર્શનથી માંડીને કેવળજ્ઞાન સુધીની પર્યાયો પ્રગટ થાય છે. આ અવલંબન સાધકદશામાં હોય છે કે સિદ્ધદશામાં પણ ચાલું રહે છે તે કૃપા કરી વિગતથી સમજાવશો. 6.04 to 9.09 G
    4 પૂજ્ય માતાજી! સાધકદશામાં આલંબન તે નિર્વિકલ્પદશામાં રહ્યું તો નિર્વિકલ્પદશામાં કેવી રીતે રહ્યું? 9.10 to 10.09 G
    5 આ સવાલ તો સાધકભૂમિકા માટે છે તો સાધકભૂમિકામાં ન પહોંચ્યા હોય તેને માટે શું કરવું? 10.10 to 12.00 G
    6 સાધકજીવો તથા જિજ્ઞાસુઓનું ધ્યેય એક જ હોય છે? 12.01 to 13.14 G
    7 જ્ઞાન અને રાગ લક્ષણભેદે સર્વથા જુદા પાડો તો જ સર્વજ્ઞસ્વભાવી શુદ્ધજીવ લક્ષમાં આવી શકે, જ્ઞાન અને રાગનાં લક્ષણભેદ જાણી, જ્ઞાન તે ઉપાદેય અને રાગ તે હેય એમ નક્કી કરવાં છતાં શુદ્ધ જીવ લક્ષમાં કેમ આવતો નથી? 13.15 to 18.20 G
    8 રાગ અને જ્ઞાન જુદા છે એટલું માને તો તે પૂરતું થઈ રહે કે દ્રવ્ય અને જ્ઞાન પર્યાય તેનું ભેદજ્ઞાન પણ કરવું પડે? 18.20 to 20.18 G
  • 16
    -
    15.19
    Sr. No. Question Duration Lang
    1 સમ્યક્દર્શન-ચારિત્ર-સર્વજ્ઞદેવ-ત્રિકાળી સ્વભાવ આ ચાર વિષે..... ત્રિકાળી સ્વભાવ મુખ્ય છે. બાકી બધું ઉપચાર છે ને? (માતાજીનું ઉદ્‍બોધન) 0.00 to 3.00 G
    2 ચારિત્ર તે ખરેખર ધર્મ છે? ત્યાં ધર્મ શબ્દ કેમ વાપર્યો છે? 3.01 to 4.19 G
    3 ધર્મનું મૂળ સમ્યક્દર્શન છે કે ચારિત્ર? તે ખરેખર ધર્મ છે? 4.19 to 6.12 G
    4 આસ્રવભાવ તે ઝેર જેવો છે. તેમાંથી તેનું મારણ કાઢવા સમ્યક્દૃષ્ટિ જીવ સમર્થ છે, તે કઈ વિદ્યાના બળે કરી શકે છે? 6.13 to 10.11 G
    5 શું દેવ-ગુરુને ભક્તિને ઝેર કહેવું? 10.12 15.18 G
  • 17
    3/22/1987
    17.03
    Sr. No. Question Duration Lang
    1 જીવને સુખ જોઈએ છે તો ચૈતન્યની મૂળ ઋદ્ધિ સુખ છે કે જ્ઞાન છે? પૂર્ણ જ્ઞાન વગર પૂર્ણ સુખ હોય નહિ, તો સુખ માટે શું જ્ઞાનનો આધાર છે? 0.00 to 5.04 G
    2 સુખ માટે વીતરાગતા હોય? 5.05 to 6.34 G
    3 સમ્યક્જ્ઞાનીને નિરંતર જ્ઞાનધારા હોય છે. ઉપયોગ બહારમાં હોય ત્યારે પણ ભેદજ્ઞાનની ધારા ચાલુ છે, તે કેવી રીતે સંભવી શકે? તે કૃપા કરીને સમજાવશો. 6.35 to 9.22 G
    4 પરિણતિ ત્રયાત્મક છે કે જ્ઞાનાત્મક છે. 9.23 to 10.50 G
    5 હે પૂજ્ય ભગવતી માતા અનંતકાળથી જે સમ્યગ્દર્શન પામ્યા નહિ, તે પામવા માટે તો અત્યારે પુરુષાર્થ ક્યાંથી કાઢવો? સારા કાળમાં જે ન બન્યું તે દુષમકાળમાં કેમ બનશે? 10.51 to 17.02 G
  • 18
    -
    19.44
    Sr. No. Question Duration Lang
    1 શુદ્ધાત્માનું આલંબન અભિપ્રાયમાં થાય? જ્ઞાનમાં રહે છે? કે ધ્યાનકાળે થાય છે? આલંબન લેવું એટલે શું? 0.00 to 5.10 G
    2 શુદ્ધાત્મા પોતે ગ્રહણ કરી લે તે જ અવલંબન? 5.11 to 6.16 G
    3 એકવાર અનુભૂતિ પ્રાપ્ત થયા પછી નય, નિક્ષેપ, પ્રમાણની કાંઈ જરૂર ખરી? 6.17 to 11.20 G
    4 નય, નિક્ષેપ, પ્રમાણ વિકલ્પ વખતે અસ્ત થઈ જાય તો નિર્વિકલ્પ વખતે કેવી રીતે હોય? 11.21 to 13.24 G
    5 પૂજ્ય બહેનશ્રી શ્રીમદ્જીએ કહ્યું છે કે ‘‘સત્સંગ વિના ધ્યાન તરંગરૂપ થઈ જાય છે?’’ તો જ્ઞાનીની નિશ્રામાં રહીને ધ્યાન કરવામાં કાંઈ વાંધો ખરો? 13.25 to 19.43 G
  • 19
    3/10/1988
    20.14
    Sr. No. Question Duration Lang
    1 વચનામૃતમાં આવે છે કે જ્ઞાનીને દ્રષ્ટિ સાથે વર્તતું જ્ઞાન બધો વિવેક કરે છે તો જ્ઞાન કેવી રીતે વિવેક કરે છે? તે આપ કૃપા કરી સમજાવશો. 0.00 to 4.44 G
    2 મુમુક્ષુનું હૃદય ભીંજાયેલું જ રહેવું જોઈએ, તે વિષે કહેશો. 4.45 to 6.26 G
    3 ’વચનામૃત વીતરાગનાં પરમ શાંત રસ મૂળ, ઔષધ જે ભવદુઃખનાં કાયરને પ્રતિકૂળ’ તેમાં કાયર ને પ્રતિકૂળ એટલે શું? 6.27 to 8.12 G
    4 મુનિ, મુનિપણાની મર્યાદા ઓળંગીને વિશેષ બહાર જતા નથી, મર્યાદા છોડી વિશેષ બહાર જાય તો પોતાની મુનિદશા જ ન રહે, તો મુનિરાજને કેવી મર્યાદા હોય છે? 8.13 to 12.14 G
    5 આત્માને બાધા પહોંચે તેવા શુભભાવ પણ ન હોય ને છઠ્ઠાથી નીચે ન જાય એવા અશુભભાવ ન આવે, તે મુનિપણાની મર્યાદા? 12.15 to 12.46 G
    6 નિયમસાર કળશ ૭૨માં આવે છે કે મુનિરાજ સમ્યદ્રષ્ટિને વંદન કરે છે. તેનો ખુલાસો કરશો. 12.47 to 15.14 G
    7 જ્ઞાનીનો ઉપયોગ બહાર હોય અને દ્રષ્ટિ અંતરમાં ટકી રહે છે. તો એક સાથે બે કેવી રીતે હોય છે? 15.15 to 19.26 G
    8 દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ્ઞાનની મુખ્યતા છે? 19.27 to 20.13 G
  • 20
    3/12/1988
    23.33
    Sr. No. Question Duration Lang
    1 રાગાદિથી ભિન્ન ચિદાનંદ સ્વભાવનું ભાન અને અનુભવ થયો તેની ધર્મીને ખબર પડે કે નહીં કે મને અંતરનું વેદન થયું, સમ્યક્દર્શન થયું? 0.00 to 3.06 G
    2 ચોથા ગુણસ્થાને ખ્યાલમાં કેવી રીતે આવે? 3.07 to 6.00 G
    3 ઉપયોગ એક સમયનો હોય છે. ઉપયોગ એક સમયમાં એકને જાણે તો દ્રવ્યને જાણે તે સમયે પર્યાયને કેવી રીતે જાણે? 6.01 to 10.32 G
    4 પૂજ્ય માતાજી! દ્રવ્યમાં પર્યાય નથી તો પછી પર્યાયને ગૌણ કરવામાં કેમ આવે છે? 10.33 to 15.02 G
    5 સમ્યક્ત્વ સન્મુખ જીવને કેવા પ્રકારનું તત્ત્વચિંતન હોય છે? દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યે કેવી ભક્તિ હોય છે? 15.03 to 17.02 G
    6 ધર્મીને જ્યારે સ્વમાં ઉપયોગ હોય ત્યારે ધર્મ હોય પણ જ્યારે ઉપયોગ પરમાં હોય ત્યારે ધર્મ હોય કે નહીં? 17.03 to 22.04 G
    7 જ્ઞાનીને પરિણતિમાં આનંદનું વેદન આવતું હશે? 22.05 to 23.32 G